પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
આત્મા અંગ

દીઠાને કાં વલગે ભૂર, અણદીઠું વેધે તે શૂર્;
દૃષ્ટ પદારથ જુઠો થશે, વેકુંઠાદિ સર્વે જશે;
ધ્યાન ધરે દીસે જંજાળ, અખા નોય એ હરિની ભાળ. ૪૦૮

ધ્યાન દીસે તે જાગ્યે જાય, ખોટાનો શો લકરો ઉપાય;
ઈન્દ્રજાળની વિદ્યા કાં મોહોય, એ તો કર્ત્તવ્ય છોકરાં જોય;
ભરમીશમાં એ દેખી ભાત, અખા કૃત્ય રહિત છે વાત. ૪૦૯

ર્ત્તવ્ય સઘળું મનનું જાણ્ય, મન ઉભેથી ટાળે નહિ તાણ્ય;
મન ઉભે ઉભો સંસાર, ફોકટ કેમ વહે છે ભાર;
અર્થ અખા તો થાએ ખરો, જો ઉપાય મન અમનનો કરો. ૪૧૦

લ્પે જલ્પે કથતે જ્ઞાન, વળી નવરો થૈને ધરશે ધ્યાન;
મર્કટ રાજ બેસાડ્યું જેમ, ફળ દીઠે વળિ હું તું તેમ;
અખા એમ નહિ રીઝે રામ, અંતરના સાક્ષીથી કામ. ૪૧૧

નિગમે ગાયો સમ્યક્‌ નવ લહ્યો, નવ આવ્યો ને નવ ગયો;
સદા સનાતન છે અવિકાર, છતે અહંકારે ન લહે પાર;
અખા વસ્તુ સરીખો થાય, તો હીરે હીરો વેંધાય. ૪૧૨

ર્ણાશ્રમ શું વળગે અંધ, જાણે એ માયાનો ફંદ;
લેહેર વળગ્યો કો તવ તર્યો, નિજ બલ આવ્યું તે ઉગર્યો;
હાડ ચર્મ કાં દેખે ભૂર, અખા બ્રહ્મ રહ્યો ભરપૂર. ૪૧૩

ણછતો બોલ સૌ કાને ચડ્યો, પણ કોણ કીયાંથો અળગો પડ્યો;
પાંચતણી સઘળી માંડણી, આપે બોલે માંહે ધણી;
આપોપાથી બુધ્ય જ પડી, અખા એવૈતની કાળપ પડી. ૪૧૪

પ્રીછીને હરિભક્તિ આદરે, તો અંત્યે પડે સહુ વરે;
હું તે કોણ હરિ શી વસ્ત, જે જાની ગ્રહું જઇ હસ્ત;
એમ જાણી જપે મળે ભગવાન, નહિ તો અખા વરવોણી જાન. ૪૧૫

દ્વિચાર તે સાછિ ભક્તિ, જેણે જીવ શીવની લહિયે વ્યક્તિ;
જીવશિવતણુમ્ લીધું હેત, તે પોતો જ્યાં વેદ કહે નેત;
એમ ભક્તિ આવે કણસડે, નહિ તો અખા જુગજુગ રડવડે. ૪૧૬

ક મૂળ મંત્ર સાંભળજો સત્ય, જેણે પદાર્થ લહિયે નિત્ય;
જીવતણું જે જીવજપણું, અને ઐશ્વર્ય જે ઈશ્વરતણું;
એ બેના બે વિકાર જો તજે, તો શેષ ભાગ અખા નીપજે. ૪૧૭