પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
અખો


જીવપણું વિચારે વળગે, સદ્ગુરુવચને પડશે વગે;
રજ્જુ ભુગંગા જેમા દીપવડે ટળે, વણ વિચારે ભર્મ જ ફળે
ભર્મ કર્મનો વ્યસની થયો, ત્યારે અખા ઇશ્વર સાક્ષી રહ્યો. ૪૧૮

જીવા ટળવા સૌ જતનજ કરે, તેમ તેમ તે બહોળો વિસ્તરે;
જેમ મૂર્ખ ખાસ ખાણી નિરગામે, તેમ તેમ તે ઘણું ઘણું ડમે;
ઔષધ્યે કંડુ થાયે શાંત, તેમ સદવિચારે આખા જીવ શાંત. ૪૧૯

ક્તિ જ્ઞાન કઠે વૈરાગ, દેહ દર્શન તે ન કરે ત્યાગ;
ત્યાં લાગે એક નવ ફળે, શુદ્ધા શૂરો ઉપરથો બળે;
આંતર અગ્નિ ન લાગે ક્યમે, ફોકટ દમણ અખા નિર્ગમે. ૪૨૦

વિચારે ભક્તિ થાય વણકરી, જ્ઞાન કથયા વિણ પામે હરી;
વાંત્યાગે જ ફાળે વૈરાગ્ય, સદ્વિચાર જ્યારે આવ્યો ભાગ્ય;
હારી જાણ્યા વિણ જે જે કરે, તેને અખા ક્લેશ ઊગરે. ૪૨૧

પ તીર્થ દાન વ્રત નેમ, ઘર બેઠાં તે પામે ખેમ;
સદવિચાર થડ જેણે ગ્રહ્યું, તેને શાખા પત્ર બારું નવ રાજયું;
સદવિચાર વિણ કરે જે ઘણું, તે ધુડ્ય ઉપર આપ્યા લીપણું. ૪૨૨

હેણી વિના કહેણી જે કઠે, માહિ વિના પાણી જે મથે;
જેમ કોયલ સૂતાને પાળે કાગ, વસંત ર્તુએ ઊડી જાએ જાગ;
લક્ષ વિના કેહેણી જોઇ અખે, ભક્તિ દંભ કુતર્ક જ્ઞાન લખે. ૪૨૩

જ્ઞાની છે હરિનું નિજ રૂપ, ચિહ્ન વિના કેમ કહિયે ભૂપ;
રાજપૂતર દળણું નવ દળે, કાળ માયા જેને દ્વારે રળે;
શેષ શંકરનું જીવન જ્ઞાન, એવી નિધિ અખા વિણ સાન. ૪૨૪

કુબુદ્ધિ કુતર્ક ને જ્ઞાન જ કહે, વિષયા દમભા ભક્તિ કરે ગ્રહે;
ક્રોધિ ક્રોધને કહે વૈરાગ, હંસ આસને બેસાડયો કાગ;
ત્રણને નાવ્યો અખા હરિ હાથ, જેમ રૂપા ભરોંશે શીપની આઠ. ૪૨૫

જ્ઞાન તણો મહિમા અતિ ઘણો, તે જાણે જે વિરલો જણ્યો,
ધ્યે ધાતા તેણે પદ નથી, નિરાલંબ પદ એટલા વતી;
કથ્યા ભણ્યાનું નહીં ત્યાં કામ, જો પ્રીછે અખા નિજ ધામ. ૪૨૬

ઉંઠ હાથ તરુ ચંદન તણો, ઊગે વણ વાવ્યો હોય નહીં ઘણો;
બ્રહ્મા વેત્તાનું એ દ્રષ્ટાંત, ક્ર્ત્ય રહિત જો હોય મહાંત;
એક ચિહ્ન ન હોય તે વિષે, તે સરખો અખા તેને લખે. ૪૨૭