પરબ્રહ્મ જોવાને મંન, બહુ ભાંતાનાં કરે જતંન;
પૂતળિને કેમ જુવે ચક્ષ, દેખણહાર પૂતળિ છે મુખ્ય;
દર્પણ માંડી જોવા જાય, તેહ અખા નિજ ચાયા પ્રાય. ૫૩૮
રૂપધારિ રામ જોવાકાજ, શરીર કૃતા કરતા બહુ બાહ્ય;
ધ્યે ધ્યાતા થઇ આવે સએજ, એ તો ચેતનમાં ગુણ ચે જ;
જીવા બ્રહ્મનેબાથે સાય, એ અખા હોય જ નાહિ પ્રાય. ૫૩૯
વિચાર અણલિંગી કેમ ઉપજે, જેમ કોય નરને ઘેલા ભજે;
શિથિલ થઇ જાય તેની વૃત્ય, તેમ કેવળપણું પોતે તર્ત;
ભાવના ફેર પડે ચે મંન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૦
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ, સત્યમિથ્યા રૂપ આઠ કાઢ;
શેષનાગ વૈકુંઠ પર્યં, મણિગણ બહુ ને એક જ તંત;
દેવ નર નાગરૂપ સિદ્ધમાં ફેર, સમજે અખા ટલે અંધેર. ૫૪૧
સર્વ એક કારજ્નાં રૂપ, કારણ સમજવું તે જ અનૂપ;
કારજ કીટ પતંગા બ્રહ્માય, કારન વડે સૌ ચાલ્યું જાય;
જે ઘટ અખા કારણ ઉલ્લસે, તે તો સ્વયં થઈ વિલ્લસે. ૫૪૨
લોક ચૌદ હીરાની ખાણ, ઓપાણો તે થયો નિર્વાણ;
વણ ઓપાણે સૌ કાંકરા, જાત વિષે સર્વેઆકરા;
જે ઘટ હુવો પોતે પ્રકાશ, તે અખા નોય સ્વામી દાસ. ૫૪૩
આડ્ય અવિદ્યા સૌને વિષે, તેણે આપોપું નવ ઓળખે;
ભસ્મે દેહ અધ્યાસી થયો, કર્મ અક્રી ચૌદ લોક વહ્યો;
તેહ ભૂલ; ટાળવા માટ, અખા ભક્તિ ઘાલી છે ઘાટ. ૫૪૪
જાણ્યું જેવ નવધા આદરે, ભક્તિરસે કર્મરસ વિસરે;
ઇશ્વર સાથે રતિ બંધાય, તો કાં ઇ સુરત ચેતનમય થાય;
ત્યાં સગુણ ભક્તિ ગાયો સાકાર, અખા મડાણે મોહ વ્યાપાર. ૫૪૫
ભક્તિ દેખાડી એટલા માટ, કર્મ ગહનમાં પાડી વાટ્ય;
જાણ્યું સુધે મારગા જશે, સર્વાવાસ હરિને જાણશે;
અખા અવતરી ધ્યેયને બકે, પોતાથી ચૂટી કેમ શકે. ૫૪૬
સર્વાવાસ જાણ્યા વિણ રામ, અખા થયું નથી કેનું કામ;
બીજી ભક્તિ તે મોહનો ઘાટ, રાજમાર્ગમાં પડે છે વાટ;
પુષ્પિત વાણી તે મેવાસ, સુખ સરખું પણ મહા આયાસ. ૫૪૭