પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
પંચીકરણ.

બહુનામી ચિત્ત ચિંતનતણો, શેષ દેવ અહંકૃતનો ગણો;
ચૌદેંદ્રિયનાં કૃત્ય ને દેવ, પંચીકરણનો જાણો ભેવ.
નિપજે આતમદરશી જેહ, સમઝી વિચારી રાખે તેહ;
અવની ગળી જાય જળવિષે, જળને ત્યારે તેજજ ભખે.
તેજ જઈ લય થાએ વાય, અનિલ આકાશવિષે લે થાય;
જ્યારે નિઃસત્વ થયું આકાશ, ત્યારે થૌનો કહાવે નાશ.
પહેલી ઉત્પત્તિ પાછળ લે, તત્ત્વસંખ્યા એમ જાણી લે;
બુદ્ધિગોચર રાખે લેખ, કેને સંશય ન રહે રેખ.
ઈંદ્રી ને ઈંદ્રીના દેવ, પંચભૂતનાં કરતવ ભેવ;
સાંખ્યયોગે દેણો નિજ પિંડ, એક પિંડ તેમ સઘળી મંડ્ય.
સર્વ રૂપ જે ચૈતન્ય થયો, અગમ અગાધ જેમનો તેમ રયો;
નિર્ગુણ તે સ્વસ્વામી આપ, સગુણ નિમિત્તેં સઘળે વ્યાપ.
ચારે દેહતણો હવો એક, સમઝી લેવો વસ્તુવિવેક;
કારજકારણ એકએકનું, કૈવલ્ય કારણ છે છેકનું.
પરમ ચૈતન્ય દેહ કૈવલ્ય નામ, તેનું કાર્ય દેહ ચૈતન્ય ધામ;
ચૈતન્યકાર્ય વાસનાલિંગ, વાસનાકાર્ય દેહ સ્થૂળપ્રસંગ.
સ્થૂળનું કારણ વાસનાલિંગ, વાસનાનું કારણ ચૈતન્ય સુચંગ;
ઈશ્વર કારણ કૈવલ્ય દેહ, સમઝી રહે તો થાય વિદેહ.
નિર્ગુણ સગુણ એમ ગોચર થાય; લોમપ્રતિલોમજ પ્રીછયા જાય,
કાર્યકારણ તે સગુણજ ગણે, કારણ કાર્યથી નિર્ગુણ ભણે.
નિર્ગુણ સગુણ બુધ્યગોચર થાય. બ્રહ્મજ્ઞાનનો એજ ઉપાય;
લેખાવિના અલેખ નવ્ય જડે, અલેખ જાણ્યાવિના ભમવું પડે.
પંનરતત્ત્વ દેહજ સ્થૂળ, નવ તત્ત્વનું વાસના ઈ મૂળ;
ચૈતન્યમાત્ર તે ત્રીજું વપુ, ચોથું દેહ તે કૈવલ્ય જપું.
એમજ ચાલે કૃત્ય વિરાટ, સમઝે તે સમઝી લે ઠાઠ;
કાનતણો પાળક દિગરાય, શબ્દ પહોંચાડે લૈ વાસનાય.
વાસના પહોંચાડે ચૈતન અંગ, એમજ ચાલ્યો જાય પ્રસંગ;
ચોથાના સામરથનાં ત્રણ, જે એમ સમઝે તે નર ધન્ય,
ત્વચાતણો સ્વામી છે વાય, સ્પર્શ પહોંચાડે છે વાસનાય;
વાસના તે છે ચૈતનવડે, તે તે સર્વ કૈવલ્યને ચડે.