અનુભવબિંદુ.
કુંડલિયા.
નિર્ગુણમાં ગુણ અણછતા, આરોપી [૩] અખે ઓચર્યું;
સત્ય સત્ય પરમાતમા, હું નહિ એવી સ્તુતિ કરૂં. ૧
છપ્પય
નિર્ગુણ ગણપ્તિ નામ, ધામ ધર [૪] ગુણને આલે’
સ્તુતિ અંબરાતીત [૫], દ્વૈતનિર્લિંગી [૬] નરાળે.
ત્યાં આરોપ્યા ગુના ઈશ, શીશ ઢળે જેને ચંમર.
નિકટ રહે અષ્ટસિદ્ધિ, નિધિ નવ ને બહુ અંમર [૭]
સુર વિણાધર [૮] તેથકે, ચિદ્શક્તિ મહા સરસ્વતી;
જમલો [૯] જાણી અખો સ્તવે, સર્વાતીત [૧૦] સર્વનો પતિ. ૨
અનુક્રમે કહું એહ, જેહ છે પ્રપંચપારે;
તત્ત્વમસિપદ [૧૧] જેહ, તેહ કહું વાની ઉચારેં.
કૈવલ્ય ઈશ્વર જીવ, ભેવ કહું વિવિધ વિચારે;
અંબરવત [૧૨] મન થાય, જાય ગુણ તત્ત્વજ ધારે;
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ધર, બોલે અખો વાની અમળ[૧૩];
એ ભાષા બ્રહ્મવિચાવિધિ, સઅમઝે તો નર જળકમળ [૧૪]. ૩
જાણીને જગદીશ, સહીશ સદ્ગુરુને નામી;
અવસર છે આ વાર, સાર શ્રીપતિ ભજ સ્વામી;
તે જાવું નથી દૂર, ઉર અંતર અવલોકી [૧૫];
ટાળ અસત અહંકાર, ચાર [૧૬] સ્થળે રહ્યો ઈ રોકી;
ચરણકમળ ગુરુદેવનાં, સેવંતાં સદ્ય હરિ મળે;
જેમ અર્કતણા [૧૭] ઉધ્યોતથી[૧૮] , અખા અંધકાર સેજે ટળે. ૪