પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધના


કાનમાં કોઇ જાતની ભયંકર શિક્ષા કરી* એક વૈદ્યે મહાવીરના કાન સાજા કર્યા, પણ એ ઇજા એટલી વેદનાભરી હતી કે આટલા ધૈર્યવાન મહાવીરથી પણ વૈદ્યની શસ્ત્રક્રિયા વખતે ચીસ પાડી દેવાઇ હતી.

બોધપ્રાપ્તિ

૧૦. આ છેલ્લો ઉપસર્ગ સહન કર્યા બાદ, બાર વર્ષના કઠોર તપને અન્તે વૈશાખ સુદ દશમને દિવસે જામ્ભક નામે ગામની પાસેના એક વનમાં મહાવીરને જ્ઞાન ઉપજ્યું, અને એમના ચિત્તને શાન્તિ થઇ.








'*કાનમાં ખૂંટીઓ મારી એમ મૂળમાં કહ્યું છે. કાંઇ પણ સખ્ત ઈજા કરી એટલું નહિ.
૮૭