પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાળ

શિષ્ય-શાખા

૧. મહાવીરે જૈન ધર્મમાં નવું ચેતન રેડી એની પુનઃપ્રતિષ્ઠા કરી. એમના ઉપદેશને પરિણામે પ્રજા વળી પાછી જોરથી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઈ; વૈરાગ્ય અને અહિંસાનો નવો જુવાળ દેશ ઉપર ફરી આવ્યો. અનેક રાજાઓ, ગૃહસ્થો અને સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસધર્મ ગ્રહણ કર્યો. એણે કેવળ જૈન ધર્મમાંથી માંસાહાર સદંતર બંધ કર્યો એટલું જ નહિ પણ એ ધર્મને પરિણામે વૈદિક ધર્મમાં પણ અહિંસા પરમ ધર્મ મનાયો, અને શાકાહારનો સિદ્ધાંત મોટે ભાગે હિન્દુ પ્રજાઓએ સ્વીકાર્યો.

૯૨