પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર



જૈન સંપ્રદાય

. મહાવીરના ઉપદેશનું પરિણામ પોતાના સમયમાં જ કેટલું ભારે હતું, એ જાણવું મુશ્કેલ છે. પણ એ સંપ્રદાયે હિન્દુસ્તાનમાં પોતાનો પાયો સ્થિર રાખ્યો છે. એક કાળમાં વૈદિકો અને જૈનો વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા; પણ આજે બન્ને સંપ્રદાયો વચ્ચે કશો વૈરભાવ રહ્યો નથી. આનું કારણ એ છે કે જૈન ધર્મનાં કેટલાંક તત્વો વૈદિકોએ- અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયો અને પૌરાણિકોએ - એટલાં પૂર્ણપણે પોતાનામાં મેળવી દીધાં છે, અને તે જ પ્રમાણે જૈનોએ પણ દેશકાળ અનુસાર એટલા વૈદિક સંસ્કારો સ્વીકારી લીધા છે કે એ બે ધર્મો વચ્ચે ભારે પ્રકૃતિનો કે સંસ્કારનો ભેદ હવે રહ્યો નથી. આજે હવે જૈનોને વૈદિક થવાનું કે વૈદિકને જૈન થવાનું ભારે કારણ પણ નથી, અને તેમ થાય તો કોઈ જાતના જુદા જ વાતાવરણમાં પ્રવેશ કરવા જેવું લાગે એમ પણ નથી. તત્ત્વજ્ઞાનને સમજાવવાના વિષયમાં બેના જુદા વાદોx છે. પણ એમ તો વૈદિક ધર્મમાં પણ અને વાદો છે. પણ બેનો


x પાછળ 'વાદ' ઉપર નોંધ જુઓ.

૯૪