આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જન્મ
૧. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. ૧[૧]શાક્ય કુલના શુદ્ધોદન રાજાની એ રાજધાની હતી. શુદ્ધોદન ૧[૨]ગોતમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેનો જોડે પરણ્યો હતો. માયાવતીને પેટે એક પુત્રનો જન્મ થયો, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાનો ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો.
૩