પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંપ્રદાય

.


સંપ્રદાયનો
વિસ્તાર

૨. જે શાંન્તિ એમને પ્રાપ્ત થઇ હતી એ એકલા ઉપગ કરે એવો બુદ્ધનો સ્વભાવ ન હતો. પોતાના સાડા ત્રણ હાથના દેહને સુખી કરવા એમણે આટલો પ્રયાસ કર્યો ન હતો. તેથી જેટલા વેગથી એમણે સત્યની શોધ માટે રાજયનો ત્યાગ કર્યો, તેટલા જ વેગથી એમણે પોતાના સિદ્ધાન્તોનો પ્રચાર કરવા માંડ્યો. જોતજોતામાં હજારો માણસોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. કેટલા યે મુમુક્ષુઓ એમનો ઉપદેશ સાંભળી સંસારનો ત્યાગ કરી એમના ભિક્ષુસંઘમાં દાખલ થયા. મગધનો રાજા બિંબિસાર, એમના પિતા શુદ્ધોદન, કોસલનો રાજા પસેનદિ તથા અનાથપિંડક વગેરે ધનાઢ્ય ગૃહસ્થોએ એમનો ધર્મ સ્વીકાર્યો. સ્ત્રીઓ પણ એમનો ઉપદેશ સાંભળી ભિક્ષુણી થવા પ્રેરાઈ. પ્રથમત: સ્ત્રીઓને ભિક્ષુણી કરવા બુદ્ધ નારાજ હતા, પણ એમની માતા ગોતમી અને પત્ની યશોધરાએ ભિક્ષુણી થવા અત્યંત આતુરતા બતાવી અને એમની આગ્રહપૂર્વક વિનંતિથી બુદ્ધને એમને પણ સંન્યાસાશ્રમ લેવાની છુટ આપવી પડી.

૧૯