પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંપ્રદાય

.

(૧) જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુનો યોગ અને પ્રિય વસ્તુનો વિયોગ - એ પાંચ દુ:ખરૂપી ઝાડની ડાળીઓ છે. એ પાંચ જ દુ:ખો ખરાં છે - એટલે એ અનિવાર્ય છે, પોતાની ઇચ્છાને આધીન નથી; એ સહન કર્યે જ છુટકો છે. આ પહેલું આર્યસત્ય છે.

(૨) એ સિવાયનાં બીજાં દુ:ખો માણસે પોતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારનાં સુખોની તૃષ્ણા, સ્વર્ગનાં સુખોની તૃષ્ણા અને આત્મનાશની તૃષ્ણા - એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુ:ખોને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુ:ખોનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઇને મનુષ્ય પાપાચરણ કરે છે અને પોતાની તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ના એ દુઃખોનું કારણ છે એ બીજું આર્યસત્ય.

(૩) એ તૃષ્ણાનો નિરોધ થઇ શકે છે. એ ત્રણ તૃષ્ણાઓને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આ ત્રીજું આર્યસત્ય.

(૪) તૃષ્ણાઓનો નિરોધ કરી દુ:ખનો નાશ કરવા માટેનાં સાધનનાં આઠ અંગ છે :
૨૧