પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


સંપ્રદાયની
વિશેષતા

૧૧. બુદ્ધના સંપદાયની વિશેષતા એ છે કે સામાન્ય નીતિપ્રિય મનુષ્યની બુદ્ધિમાં ઉતરી શકે તેવા જ વિષયો ઉપર એ શ્રદ્ધા રાખવાનું કહે છે.

પોતાના જ બળે બુદ્ધિમાં સત્ય તરીકે પ્રતીત ન થાય એવાં કોઇ દૈવત, સિદ્ધાન્તો, વિધિઓ કે વ્રતોમાં એ શ્રદ્ધા રાખવાનું કહેતા નથી. કોઈ કલ્પના અથવા વાદ પર પોતાના સંપ્રદાયનો પાયો એણે રચ્યો નથી. જો કે સર્વ સંપ્રદાયોમાં થાય છે તેમ સત્ય કરતાં સંપ્રદાયનો વિસ્તાર કરવાની ઇચ્છાવાળા જનોએ પાછળથી એ સર્વે વસ્તુઓ એમાં નાખી દીધી છે.