બુદ્ધ
પશ્ચાતાપ થવા લાગ્યો. પણ તે બુદ્ધ આગળ પ્રકટ કરતાં પહેલાં જ તેનું મરણ થયું.
૨૩. અજતશત્રુએ પણ એનાં કર્મો માટે પાશ્ચાત્તાપ કર્યો. એણે પાછું બુદ્ધનું શરણું લીધું અને સન્માર્ગે વળગ્યો.
૨૪. એંશી વર્ષની વય થતાં સુધી બુદ્ધે ધર્મોપદેશ કર્યો. આખા મગધમાં એમના વિહારો ફેલાઈ ગયા અને મગધનું નામ બિહાર પડી ગયું. હજારો માણસો બુદ્ધના ઉપદેશથી પોતાનું જીવન સુધારી સન્માર્ગે વળગ્યા. એકવાર ભિક્ષામાં કાંઇ અયોગ્ય અન્ન મળવાથી બુદ્ધને અતિસારનો રોગ લાગુ થયો. તે મંદવાડમાંથી બુદ્ધ ઉઠ્યા જ નહિ. ગોરખપુર જીલ્લામાં કસાયા નામે એક ગામ છે, ત્યાંથી એક માઈલને અંતરે 'માથાકુંવરકા કોટ' નામે સ્થાન છે, ત્યાં આગળ તે કાળે કુસિનારા નામે ગામ હતું. ત્યાં બુદ્ધનું પરિનિર્વાણ થયું.
૨૫. એમના મરણથી એમના શિષ્યોમાં અત્યંત શોક છવાઈ ગયો. જ્ઞાની શિષ્યોએ સર્વ સંસ્કાર અનિત્ય છે, કોઇની સાથે કાયમનો સમાગમ રહી શકતો નથી, એવા