પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

પા૦ ૫ : સિદ્ધાર્થનો વિવેક - જે મનુષ્ય હમેશાં આગળ ધસવાની વૃત્તિવાળો છે તે એક જ સ્થિતિમાં કદી પડી રહેતો નથી. એ પ્રત્યેક વસ્તુમાંથી સાર અસાર શોધી લઇ, સાર જાણવા જેટલી એને માટે પ્રવૃત્તિ કરી એનો ત્યાગ કરે છે. આવી સારાસરની ચાળણી તેનું જ નામ વિવેક. વિવેક અને વિચાર એ ઉન્નતિના દ્વારની કુંચીઓ છે.

કેટલાક મનુષ્યો અત્યન્ત પુરુષાર્થી હોય છે. ભિખારી જેવી સ્થિતિમાંથી શ્રીમન્ત બને છે. સમાજના છેક નીચલા થરમાંથી પોતાનાં પરાક્રમ અને બુદ્ધિ વડે છેક ઉપલા થરમાં પહોંચી જાય છે અને અપાર લોકપ્રસિદ્ધિને મેળવે છે. જડ ગણાતા વિદ્યાર્થીઓ કેવળ ખંત અને ઉદ્યોગ વડે સમર્થ પંડિતો થઇ જાય છે. આ સર્વ પુરુષાર્થનો મહિમા છે. પુરુષાર્થ વિના કોઇ પણ સ્થિતિ કે યશ પ્રાપ્ત થતાં નથી.
૬૧