પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગૃહસ્થાશ્રમ


બુદ્ધિમત્તા

૪. જેમ પરાક્રમમાં તેમ ભણવામાં પણ એ અગ્રેસર હતા. કહે છે કે નવ વર્ષની ઉમરે તો એમણે વ્યાકરણ શીખી લીધું હતું



વિવાહ

૫. સાત હાથ ઉંચી કાયાવાળા વર્ધમાન યથાકાળે જુવાન થયા. નાનપણથી જ એમની વૃત્તિ વૈરાગ્યપ્રિય હતી. સંન્યાસ એ એમના જીવનનું લક્ષ્ય હતું. એમના માતાપિતા એમનાં લગ્નને માટે બહુ આગ્રહ કરતાં હતાં, પણ એ પરણવાને માનતા ન હતા. પણ છેવટે એમની માતા અત્યંત આગ્રહ કરવા લાગ્યાં, અને એમના સંતોષાર્થે પરણવા વિનવવા લાગ્યાં. એમના અવિવાહિત રહેવાના આગ્રહથી માતા બહુ દુઃખ કરતાં હતાં, અને વર્ધમાનનો કોમળ સ્વભાવ એ દુઃખ પણ જોઈ શકતો ન અહતો. તેથી અનાસક્ત છતાં કેવળ માતાના સંતોષાર્થે એમણે યશોદા નામે એક રાજપુત્રી સાથે લગ્ન કર્યું. યશોદાને પ્રિયદર્શના નામે એક પુત્રી થઇ. તે આગળ જતાં જમાલિ નામે એક રાજપુત્રની સાથે પરણી.


માતાપિતાનું
અવસાન

૬. વર્ધમાન અઠ્ઠાવિશ વર્ષના થયા ત્યારે એમનાં માતાપિતા તે કાળની જૈન ભાવના પ્રમાણે અનશન વ્રત કરી

૭૭