પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


દેહત્યાગ કરી ગયાં. વર્ધમાન જ્યેષ્ઠ પુત્ર હોવાથી રાજ્યના અધિકારી હતા, પણ એમણે રાજ્ય ન સ્વીકારતાં પોતાના ભાઇ નંદિવર્ધનનો અભિષેક કર્યો.


ગૃહત્યાગ

૭. બે એક વર્ષ વીત્યા બાદ સંસારમાં હવે રહેવાનું પ્રયોજન નથી એમ વિચારી જે સંન્યાસજીવન માટે એમનું ચિત્ત તલપાપડ થઇ રહ્યું હતું, તે સ્વીકારી લેવાનો એમણે નિશ્ચય કર્યો. એમણે પોતાની સર્વ સંપત્તિનું દાન કરી દીધું. કેશલોચન કરી, માત્ર એક વસ્ત્ર રાખી, રાજ્ય છોડી તપ કરવા માટે ચાલતા થયા.


વસ્ત્રાર્ધદાન

૮. દીક્ષા લીધા પછી એ ચાલ્યા જતા હતા, એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ એમની પાસે આવી ભિક્ષા માગવા લાગ્યો. વર્ધમાન પાસે પહેરેલા વસ્ત્ર સિવાય કશું રહ્યું ન હતું, એટલે એનો જ અરધો ભાગ કરી એણે એ બ્રાહ્મણને આપી દીધો. બ્રાહ્મણે પોતાને ગામ જઇ એના છેડા બાંધવા માટે એ વસ્ત્ર એક તુણનારને આપ્યું. તુણનારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ જોઈ બ્રાહ્મણને કહ્યું કે "આનો જો બાકીનો અરધો ભાગ પણ મળે તો એ વર્તી ન શકાય એવી રીતે જોડી દઉં.

૭૮