પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

કમ્પાઉન્ડની બહાર નીકળતાં જ ગૌતમને લાગ્યું કે તેણે સ્વાતંત્ર્ય મેળવ્યું જ !

શામાંથી ?

પરદેશી સત્તામાંથી તો નહિ જ.

પરદેશી ભણતરમાંથી ખરું, પરંતુ પરદેશી રાજઅમલમાંથી નહિ; પશ્ચિમે ઊભા કરેલા આર્થિક ચૂસણતંત્રમાંથી પણ નહિ.

ત્યારે ?

એ તંત્રને તોડવા જતાં. ગૌતમ માનવજાતના એક મહાબંધનમાં પડતો બચી ગયો !

બહારના લત્તામાં દીવાઓ થઈ ગયા હતા. શેરીઓ સૂમસામ હતી; માત્ર પોલીસના માણસો થોડી થોડી વારે ફરતા દેખાતા હતા. રાત્રે ફરવાની બંધી હોવી જોઈએ એમ માની ગૌતમે સંભાળપૂર્વક સાંકડા રસ્તાઓનો માર્ગ લીધો. કોઈ પણ સ્થળે છરો ખોસાવાની બીક તો હતી જ. પરંતુ લાખો માણસની વસ્તીમાંથી માત્ર દસબાર જણ ઘાયલ થાય એ વીમાની આંકડાગણતરી પ્રમાણે સલામતી ભર્યું જ મનાય. એ દસબાર જણમાં ગૌતમને આવી જવાનો સંભવ ઓછો હતો. એવી જ માન્યતા ગૌતમે રાખવી જોઈએ.

ગૌતમને ખબર પણ પડે તે પહેલાં આકાશમાંથી એકાએક વરસાદ તૂટી પડ્યો. ગૌતમ બની શકે એટલી ઝડપથી આગળ વધ્યો. છત્રી અને ઓવરકોટવાળા પણ ભીના થઈ જાય એવા વરસાદમાં ગૌતમ જોતજોતામાં ભીંજાઈ ગયો.

હિંદુમુસ્લિમ છરાધારીઓનું ધર્માભિમાન પણ વરસાદમાં જરા મુલતવી રહે છે, અને અંગત સલામતી સાચવી છરાધારીઓને ઉશ્કેરતા અને પોષતા આગેવાનોની હુલ્લડ શાન્ત પાડવાના દેખાવ પાછળ ચાલતી હુલ્લડ વધારવાની યોજનાઓ પણ ઠંડી પડી જાય છે. ગૌતમની આંખ આગળ મિત્રા વારંવાર આવતી હતી. વરસાદનું જોમ એને છેલ્લા માનસઅનુભવ તરફ ખેંચ્યે જતું હતું.

સ્ત્રીસ્નેહને શા માટે એ બંધન ગણતો હતો ? જગત ઉપર સ્વર્ગ