પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮: છાયાનટ
 

ત્યાં ભેગી થાય છે !’

'કારણ ?’

'કારણ ? નહિ કામ, નહિ ધંધો, નહિ મજૂરી, નહિ ઊંચો જીવ ! એમને બીજું સૂઝે શું ?’

ગૌતમે આગળ પ્રશ્ન પૂછ્યો જ નહિ. વર્તમાનપત્રોમાં અણગમાનો દેખાવ કરી તે ઘણી વાર વાંચતો કે અનીતિના અખાડા - અનીતિનાં ધામ અમુક શેરીઓ અને લત્તામાં મળી આવ્યાં છે અને સારા ઘરની સ્ત્રીઓ પણ એમાં સાથ આપતી માલૂમ પડી છે. ગૌતમને આ માનવપ્રવૃત્તિ સમજાતી નહિ, એની એક અશિક્ષિત અશિષ્ટ મજૂરણે સ્પષ્ટતા કરી આપી. સાધનરહિત સ્થિતિ સાધનો મેળવવાની ઝંખનામાં અનીતિ પ્રેરે ! સાધનસંપન્ન સ્થિતિ નવરાશ અને વિપુલતાને અંગે નીરસ બની જતા જીવનને અનીતિ દ્વારા જાગ્રત રાખે ! આ નીતિ ઉપજાવતી ગરીબી અને અનીતિ ઉપજાવતી સંપત્તિ બંને એક જ ઢાલની બે બાજુ !