પૃષ્ઠ:Chhayanat.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૯
 

મિત્રો છેવટે કૉલેજમાં જવાની જ માનસિક તૈયારી કરી રહ્યા હતા એ તેને સ્પષ્ટ થયું. તેમના ઉપર આધાર રાખીને ગૌતમે આખું દોઢસો માણસોનું મંડળ ઊભું કર્યું હતું. એ દોઢસો ચાલ્યા ગયા. અરે, એમાંથી જ પ્રિન્સિપાલ તથા પોલીસને ચોકસાઈ ભરેલી માહિતી આપનાર હિતેષીઓ ઊભા થયા હતા. છતાં એના મનમાં બળ હતું. એના છએ અંગત મિત્રો મંડળને અને મંડળના ધ્યેયને પૂરા વફાદાર હતા. એ વિચારે તેને હડતાળના શમન વિષે જરાય દુ:ખ થયું નહિ, પરંતુ એણે વાતચીતમાં જોયું કે એ જ વફાદાર મિત્રો કૉલેજમાં પાછા જવાની શક્યતાનો વિચાર કરી રહ્યા છે ત્યારે એને લાગ્યું કે એના હૃદયમાં ચીરો પડે છે.'

‘એમ ને એમ નહિ, તમે તો વાત કરી અને કાલે ફરી ગયા તો ?’ રહીમે કહ્યું.

‘લેખ કરી આપીએ.' શરદે કહ્યું.

'Scraps of paper ! ગયા યુદ્ધ સમયની એ સુધરેલી ચોટ્ટાઇનો આપણને ખ્યાલ ન હોય તો બીજા કોને હોય ?’ દીનાનાથે કહ્યું.

‘તો હાથમાં આ ચપ્પુ લો અને લોહી છાંટી સોગનને સહુ સાચા બનાવો.' રહીમે ચપ્પુ કાઢી ખોલી સહુને બતાવ્યું.

‘આ તો જુનવાણી રિવાજ કહેવાય. રહીમમાં હજી અંધશ્રદ્ધા રહી ગઈ છે.’ અરવિંદે કહ્યું.

‘સચ્ચાઈને ખાતર તો જોખમ ખેડો ! કાંઈ નહિ તો સહન કરવાની તાકાત તો આવશે !’ દીનાનાથે કહ્યું.

‘હું તૈયાર છું; પહેલું હું કરીશ.’ નિશાએ કહ્યું. તેના મુખ ઉપર આગ્રહ દેખાયો.

‘સ્ત્રીઓ ઉપર સૂત્રો -Slogan-ની અસર વહેલી થાય છે, નહિ ?’

'તે પેલી મિત્રાને પૂછ. સૂત્રોએ શી અસર કરી તે જાણ્યું ને ?’ નિશાએ જવાબ આપ્યો.

‘હડતાલનો પહેલો વિરોધ એનો.' દીનાનાથે કહ્યું.

‘વિરોધ અવિરોધ કાંઈ એને નથી. એને ઘમંડ સિવાય બીજું કાંઈ ખપે નહિ.’

'છેક ઘમંડી તો નથી પણ...’ નિશાએ કહ્યું.

‘તારી બહેનપણી ખરીને !’ અરવિંદ બોલ્યો.

‘પણ આ બધું કરવાની જરૂર જ શી છે ? સમય ઓળખીને ચાલવું તે