પૃષ્ઠ:Chhayanat.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૬૫
 


‘ચાલો, આપને મૂકી આવું.’

‘કોણે હુકમ કર્યો ?' વિજયરાયે પૂછ્યું.

‘સાહેબે.' શૉફર બોલ્યો.

‘આ તે સાહેબ કે દેવ !’ આકાશ તરફ નિહાળી વિજયરાયે ઊંડા ભાવથી કહ્યું.

અને બંને જણા કારમાં બેઠા.

‘હું કાલે સવારે નીકળી જઈશ.’ ગૌતમે કહ્યું.

‘કેમ ?'

'કૉલેજમાં જાઉ ને ? વળી મૅચ છે. મારા મિત્રો રમવાના છે.'

લાઠીધારી મુસલમાનો એક મસ્જિદમાંથી નીકળ્યા. લાઠીધારી હિંદુઓ પાસેના જ એક દેવળને ઓટલે ચડ્યા.

હિંદમાં મસ્જિદ-મંદિરની નિકટતા આજ સુધી તો સચવાઈ રહી છે.પરંતુ વિજયરાયના કહેવા પ્રમાણે હિંદુમુસ્લિમ ઝઘડાનો આ ગામે બહુ જ મોડો સંભવ ઊભો થયો હતો.

‘કારણ ?’ ગૌતમે પૂછ્યું.

ધર્મના નામે જેટલાં કારણો ઝઘડા માટે આગળ કરાય એટલાં ઓછાં છે - માત્ર ધર્મ સિવાય કેટલાંક કારણો બતાવી વિજયરાયે છેવટનું મહાકારણ સમજાવ્યું.

‘હિંદુઓ મુસલમાનોને પાકિસ્તાન આપવાની ના પાડે છે એ મોટું કારણ.'

‘ઝઘડો થયો તો નથી ને ?’

‘ના. પણ તે ગમે ત્યારે ફાટી નીકળે, અહીં નહિ તો બીજે. એ તો હિંદવ્યાપક ઝઘડો છે !’

ઘર પાસે આવ્યું. બળદોની હાર ઉપર પોઠી નાખી આગળ વધતી એક વણઝાર તેની નજરે પડી. ચાલી જતી વણઝાર પાછળ કૂતરાં ભસતાં હતાં. ! સામ્રાજ્યશોખીન સર સેમ્યુઅલ હોરની છબી ગૌતમની આખ આગળ ખડી થઈ.

કાર ઊભી રહી. વિજયરાય અને ગૌતમ નીચે ઊતર્યા અને ઘરમાં ગયા.

કૂતરાં હજી ભસતાં હતાં. !

કે કંસ, કાળયવન અને કૌરવો ભેગા મળી હિંદના મરસિયા ગાતા