પૃષ્ઠ:Chhayanat.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬: છાયાનટ
 

હતા ?

ગૌતમ ક્ષણભર ચોંકીને ઊભો રહ્યો. ‘ભાઈ, કેમ ઊભા રહ્યા ?' અલકનો અવાજ તેને કાને પડ્યો. સ્વપ્નમાંથી જાગ્રત થયેલો. ગૌતમ હસ્યો. બહેનને તેણે કહ્યું :

‘નાનપણમાં માએ કહેલી કેટલીક વાત યાદ આવી ગઈ.’

'શી વાત ?'

'અર્થ વગરની છતાં હૃદયમાં ચોંટી રહેલી.'

‘મને કહેશો નહિ ?’

‘મને એ આવડે છે. પણ... પણ. એ ભુલાઈ જાય તો બહુ સારું.’

‘કારણ ?’

‘નવીન જગત રચવામાં એ વચ્ચે આવે છે.'

‘કોણ ભાઈ ?' દેવની ઘંટડી વગાડતાં સુનંદાએ આગળ આવેલા ભાઈને પૂછ્યું.

‘આપણા જૂના સંસ્કારો.'

પાસેના ઘરમાંથી એક ગ્રામોફોન વાગી રહ્યું. નવીન સંસ્કાર !

 'નાચો નાચો પ્યારે મનકે મોર.' 

ગીતનું એ વસ્તુ ! નવીન સંસ્કારોનું એ પ્રતીક ! પાંચ વર્ષના બાળકથી માંડીને પચાસ વર્ષ સુધીના અનુભવીઓને મુખે ચડી ગયેલો એ ભાવ !

માંકડાને ડુંગડુગીથી નચાવતા મદારીનું દૃશ્ય ગૌતમની આંખ આગળ ખડું થયું.

બહેનોને આખો દિવસ રાજી રાખી, આખી રાત તેમની સાથે વાતો કરી. બીજે દિવસે તેમને રડાવી, ગૌતમ પાછો ફર્યો.

બહેનોને છોડી જતાં તેનું હૃદય પણ રડી ઊઠ્યું. સાચામાં સાચો પ્રેમ બહેનનો ! નહિ ? રેલગાડીમાં તેણે એક દૃશ્ય જોયું. બહેનને ત્રીજા વર્ગમાં બેસાડી એક શેઠસાહેબ સેકન્ડ ક્લાસનો આરામ ભોગવતા હતા.

એ ભાઈના વૈભવની વાત અત્યંત આનંદપૂર્વક તેમની બહેન એક બીજી સ્ત્રીમુસાફરને કહેતી હતી !

એ જ ડબ્બામાં ગૌતમ બેઠો હતો.