યુવતીઓને માટે શબ્દશ: સજુગતો છે: ‘બગલાની વાંસે
બાળા દોડશે’: ઉજળા દેખાતા બેવફા પ્રેમિકોની પાછળ
લટુ બનતી બાળાઓનો ઉલ્લેખ એક કોળીના ભજનમાં થાય
એ પણ વિલક્ષણ વાત છે.
‘ઘોડામુખ નર’ ક્યા તે કળાય છે? ‘એની વાણીમાં નહિ સમજે કોઈ રે’ એટલે કેવા લોકોની વાણી? વિદ્વતાના ડોળધાલુઓની? પોકળ દલીલબાજોની? શબ્દમાત્રથી સત્યને ગૂંગળાવી મારનારા વિપથગામી વાદ–પ્રચારકોની ?
નરી શબ્દચાતુરીથી દુનિયાને સર કરનારાઓ પર ભજનવાણી હમેશાં આ પ્રહાર કરતી રહી છે.
✼
[૨]
મને નાતો બંધાણો હરિના નામનો,
તનથી તોડ્યો નહિ જાય,
મનથી મેલ્યો નહિ જાય—મને૦
પાંદ સરીખી મીરાં પીળી હુઈ,
લૌક જાણે પંડ્ય રોગ;
ચાર પાંચ લાંઘણું મીરાંને પડિયું,
આવ્યો હવે હરિભજવાનો જોગ—મને૦
ચાર પાંચ વૈદ રાણાએ તેડાવિયાં,
પકડો મીરાંની બાંય;
જાવ વૈદ તમે તમારે ઘેર,
મારે ઓસડ ન કરવું કાંઈ રે—મને૦
ખનું ચડું ખનું ઊતરું,
ખનુ નગરની પાળ,