આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
છેલ્લું પ્રયાણ
અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો. ખેર ! પેલો
રામવાળો તો બાપડો એટલું ય ન પામ્યો. એનો તો
આ દુનિયા સાથે કોઈ મેળ જ ન મળે. કાળને
પંથે લગ્નમોડ પહેરીને ચાલે, તો સાથીઓમાં લૂંટારુ–
મૈત્રીની નીતિ પણ ન નભી. અને પોતે પ્રારબ્ધને હાટડે
મહામોલું જીવન પાછું દઈને, સસ્તુ મોત માગી લીધું હતું
તો એ મોત પણ કમોત બન્યું. નહિ તો એ રામવાળો પણ
શેલ નદીના જ અંકમાં ક્યાં નહોતો આળોટ્યો !