પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
છેલ્લું પ્રયાણ
 


સોરઠી સ્વપ્ન–કાવ્યમાં પણ એ જ કવિતા ટપકી ગઈ :—

જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,
પલંગે પછાડું હાથ.

સોરઠી પ્રતીક-જુક્તિ, સોરઠી Symbolism, એ સ્વયંપૂર્ણ છે, કાવ્યનું એ સંપૂર્ણ ઉપાદાન છે.

છત્તીસગઢના લોકગીતોનો પરદેશી સંપાદક આ ગીતો ના કાવ્યરસને કવિ શૅલીની આંકણીએ માપે છે. શૅલીને કવિતામાં શાનું દર્શન થયું ? —

‘કવિતા હરેક વસ્તુને રમ્યરૂપે પરિવર્તિત કરે છે : જે સુંદરતમ છે તેને ય કવિતા ઓર સુંદર કરી આપે છે, અને જે કદ્રુપ છે તેનામાં રમણીયતા મૂકે છે, ઉલ્લાસ અને બીભ ત્સતાની વચ્ચે, શોક અને હર્ષની વચ્ચે તેમજ ચિરંતન અને ક્ષણિકની વચ્ચે, કવિતા લગ્ન કરી આપે છે; પોતાની હળવી ધૂંસરી હેઠળ એ વિષમ વિગ્રહશીલ વસ્તુઓને પણ જોતરી આપે છે. જેને એ સ્પર્શે છે, તેને એ કાંચનનું કરે છે, અને એના પ્રભા-વર્તુલની અંદર આવનાર પ્રત્યેક સ્વરૂપ એની અજબ કરુણા થકી નવો અવતાર ધરી રહે છે. જીવ નમાં ટપકતાં મૃત્યુનાં વિષભર્યાં નીરને કવિતાની કીમિયાગીરી કનકનાં કરે છે : દુનિયાના દેહ પરથી પરિચિતતાનો પરદો સેરવી લઈને કવિતા એના નિદ્રાવશ નગ્ન સૌંદર્યને પ્રત્યક્ષ કરી આપે છે.’

શૅલીને આટલું કહેવા દઈને એલ્વિન ઉમેરો કરે છે કે, ‘આ બાબતમાં તો શૅલીએ શક્ય ગણ્યું તેના કરતાં યે હિન્દી