પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોક્કવિતાનો પારસમણિ
૧૫૩
 


પે’લે માસે તે જાણ્યું અજાણ્યું રે હરનું હાલરડું,
બીજે માસે તે હૈયડામાં જાણ્યું કે ગોવિંદજીનું હાલરડું,
ત્રીજે માસે સૈયરને સંભળાવિયું રે હરનું હાલરડું,
ચોથે માસે તે ચૂરમાના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.

વગેરે વગેરે, ઉપરાંત જનેતાપદની નવી આંતરસમૃદ્ધિના ભાવપ્રતીક રૂપે આદિવાસીઓએ જળની મચ્છી, આંબાને નમતી ડાળ, નવી ફૂલકળી વગેરે જે યોજ્યાં, તે જ આપણે પણ આપણાં લોકગીતોમાં વાપરેલાં જોઈએ છીએ. વાંઝણી મહાદેવેથી વર મેળવી પાછી વળે છે ત્યારે

સૂકાં રે સરોવર ભરાઈ ગિયાં ધન્ય રમતાં રે,
માછલડાં કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે,
આંબા આંબલિયું લીલી થઈ ધન્ય રમતાં રે,
કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે.

શૅલીએ સાચું ભાખ્યું : કવિતા તો કુત્સિતને પણ રમ્યતા અર્પે છે; નહિ તો કસુવાવડના ભયે એ કમ્પતી છત્તીસગઢની આદિવાસી સગર્ભાને સુરક્ષિત રાખવાની સામૂહિક મનવાંછનાને આ શબ્દદેહ ક્યાંથી મળત ? — ઢોલિયાની પાટીને દશ શેરી ગંઠીને ગર્ભિણીની કમ્મર ફરતી બંધાય છે, ત્યારે લાકો જે ગાય છે તેનું ધ્રુવપદ જ આટલું મંત્રાત્મક છે —

સત કે નાહ, સબદ-કિરવરિયા
સુરતા કે બાંસ.

[સતનું નાવ છે, શબ્દનું હલેસું છે, ને સુરતા (એકા- ગ્રતા)નો વાંસ છે.]