પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૨૫
 

शठं प्रत्यपि सत्यम् બોધનાર
‘અન્યાય સ્હામે યે ઉગામ મા’ નો અનુયાયી,
‘દેહથી દેહી જવન્તો છે’ તે આચરનાર,
દુઃખતપતી આ દુનિયાનો દરવેશ છે તે.
—એકદા એનો આજ્ઞાડંકો વાગ્યો,
તે નિ:શસ્ત્ર નરનાર ને બાલકોની,
ચાર હજાર દુઃખસજ્જોની સેના
ટ્રાન્સવાલને હૂમલે ચાલી.
આશ્ચર્યચકિત જગત નિરખી રહ્યું
જગતના ઇતિહાસમાં અદ્વિતીય
દૂભાયેલાં : ચાર હજારની તે કૂચ.
મોખરે હતો તે સેનાધિપતિ:
સિંહને શસ્ત્ર ન હોય,
ને ન હતાં તે નરકેસરીને,
પછી તો વર્ષો વીતી ગયાં:
રાત્રિદિવસના ઓછાયા ઉગ્યા ને આથમ્યા.
ઇતિહાસમાં અપૂર્વ છેલ્લા જગસંગ્રામમાં
મદમલપતી જર્મન મહાપ્રજાની
છેલ્લી ભરતીનો જુવાળ ચ્હડ્યો,
જાણે પ્રલયની મેઘાવલિ.
દિશામંડલ ડોલવા લાગ્યું,
ધરતી ધણધણવા માંડી,
ગીધ સરીખડાં વિમાનો