પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
ચિત્રદર્શનો
 

વાદળાંની અધ્રુવ છાયાફૂદડીમાં
એક એ ધ્રુવ તત્ત્વઃ
ઇતિહાસમાં ઉચ્ચારાતો
સનાતન સત્યનો એ શબ્દ,
પ્રાચીનતાનો પરમ મન્ત્ર:
નવામાં નવો તે,
તે જૂનામાં જૂનો છે.
સત્ય ત્હેનો મુદ્રામન્ત્ર છે,
તપ ત્હેનું કવચ છે,
બ્રહ્મચર્યનો ત્હેનો ધ્વજ છે,
અખૂટ ક્ષમાજલ ત્હેને કમંડલે છે,
સહનશીલતાની ત્હેની ત્વચા છે.
સનાતન યોગીકુલનો યોગવારસ,
રાગદ્વેષના ઝંઝાનિલથી પર,
ભારતનો વર્તમાન મહાગુરુ,
એ તો ગુજરાતનો તપસ્વી
મહાત્મા મોહનદાસ ગાંધી.
 
વાને કાજે આયુષ્ય નથી.
વિદ્યાના બેપરવા કાજે વિદ્યા નથી,
લક્ષ્મીના બેપરવા કાજે લક્ષ્મી નથી,
આયુષ્યના બેપરવા કાજે આયુષ્ય નથી.
આનન્દો, રે આનન્દો, નરનાર !
આજે પચ્ચાસ વર્ષાનો ઉત્સવ છે