પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૨૯
 

ને યોગીન્દ્ર! સબૂર.
ત્હારા સમૃદ્ધ આત્મભંડાર
ભર્યાભર્યાં ઉઘાડ, ને પારખ.
અનન્ત આકાશના અન્તર્પટ
વીંધીને વિચર, ને ભીતર નિહાળ.
દુઃખમાં, પાપમાં, અન્ધકારમાં યે
બ્રહ્મકિરણ જ વિરાજમાન છે,
ત્હારે હૈયે છે યજ્ઞકુંડના હુતાશઃ
એ અગ્નિ નહીં, ઓ ગુરો !
પણ ત્હેના પ્રકાશ પ્રગટાવ
આત્મન્‌આત્મન્‌ના અમૃતદીપમાં.
સાધો ! સત્યના યે આગ્રહ ન હોય.
એ તો છે હઠયેાગના પ્રકારાન્તર,
નહીં કે રાજયોગના રાજમાર્ગ.
મનુષ્યની નહીં, પણ પ્રભુનીજ ઇચ્છા
પ્રવર્તે છે સત્યના યે પ્રચારમાં,
મનુષ્યે પુરુષાર્થ આદરવાના છે,
પ્રભુએ મનુષ્યના પુરુષાર્થ પૂરવાના છે.
પુરુષાર્થમાં યે પુરુષે પ્રભુઇચ્છાને નમવાનું છે.
—ને ઇતિહાસ ભૂલેલા વિસારે કે વિચારે,
છતાં આદર્યા’તા તે યોગ બ્રહ્મનિષ્ઠ મનસૂરે,
મહાયોગીન્દ્ર ઈશૂ ખ્રિસ્તે,
મેફ્લાવર જહાજના સફરી યાત્રાળુઓએ,
હિન્દસત્કાર્યાં હુતાશરવિપૂજક રથોસ્તીઓએ,