પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૯)

તાજમહેલ

આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ?
કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ?
આ તાજ શું એ મુમતાજનો ? સખે !
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ?

પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે;
તે સૌનો પડઘો ઝીલી સુણો ! શાહે જ્ય્હાં ઝૂરે.

શ્રી કૃષ્ણની બંસી શું નાચ નાચતી
વૃન્દાવનેથી યમુના પધારતી;
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌન્દર્યનું પુષ્પ ખીલ્યું શું આ ? સખે !