આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૭૧
મ્હારે એ પ્રભુતેજનાં દર્શન ન થતાં;
બહાર તેમ જ અન્તરમાં નિસ્તેજ હતું;
અન્ધકાર શ્યામળ જયધ્વજ ફરકાવતો.
ઘનદળ ત્હેના ઘટાટોપમાં નર્તતું.
પૃથ્વીના પ્રાણમાં જડેલી ત્હેમની છાયાઓ શી
કાજળકાળી ડોલન્ત પર્વતાવલિ
દૃષ્ટિ બાંધી પડી હતી.
કશું ય કાંઈ સૂઝતું નહીં.
તમરાજની સંશયભૂમિકા જેવી
શોકરાત્રિની સીમ ઉપર હું ઉભો હતો.
શૂન્યતાના તરંગ જગત ભરી તરવરતા,
મ્હને રસબોળ ભીંજવતા,
શૂન્યાત્મ કરતા.
આંખ ઉઘાડી હતી, પણ દર્શન ન્હોતાં થતાં:
કીકી દિશાભુવનોમાં દોડતી,
પણ પ્રભુનો જ્યોતિ ક્ય્હાંઈ જ મ્હોતો નિર્ખાતો.
અન્ધકાર અલૌકિક હતો:
યમદંડના કિરણજૂથ સમાન,
વિબુધોના આત્મામાં વસે છે એવો,
મૃત્યુની વિશાલ પાંખ સમો,
ઉંડા અમાનુષ ભેદનો પ્રકાશ શો,
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,