દક્ષિણ આફ્રિકાની લડાઈના સત્યાગ્રહમાં એટલી બધી સૂક્ષ્મતા
વાપરવામાં આવી હતી કે પ્રચલિત નીતિની વિરુદ્ધ એક પણ પગલું
નહોતું ભરાતું, એટલું જ નહીં પણ અયોગ્ય રીતે સરકારને ન રંજાડી
શકાય એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવામાં આવતી હતી, જેમ કે
કાળો કાયદો કેવળ ટ્રાન્સવાલના હિંદીઓને જ લાગુ પાડવામાં આવ્યો
હતો તેથી સત્યાગ્રહનીતિમાં કેવળ ટ્રાન્સવાલના હિંદીઓને જ દાખલ
કરવામાં આવતા હતા. નાતાલ, કેપકૉલોની ઈત્યાદિથી ભરતી કરવાનો
કાંઈ પણ પ્રયત્ન નહોતો કરવામાં આવ્યો, એટલું જ નહીં પણ
ત્યાંથી આવેલાં કહેણ પણ પાછાં વાળવામાં આવ્યાં હતાં, અને
લડાઈની મર્યાદા પણ એ કાયદો રદ કરાવવા પર્યતની જ હતી.
આ વસ્તુને નહોતા ગોરાઓ સમજી શકતા, નહોતા હિંદીઓ સમજી
શકતા. આરંભકાળમાં હિંદીઓ તરફથી એવી માગણી થયા કરતી
કે, જે લડાઈ શરૂ કર્યા પછી કાળા કાયદા સિવાયનાં બીજાં દુ:ખોને
પણ લડાઈના હેતુઓમાં ભેળવી શકાય તો કેમ ન ભેળવીએ ? ધીરજથી
મેં સમજાવ્યું કે, તેમાં સત્યનો ભંગ થાય એવું છે અને જ્યાં
સત્યનો જ આગ્રહ છે ત્યાં સત્યના ભંગ જેવી વાત કેમ થઈ
શકે ? શુદ્ધ લડાઈમાં તો લડાઈ કરતાં કરતાં લડવૈયાનું બળ વધતું
જેવામાં આવે તોયે તે આરંભકાળે નીમેલા હેતુ ઉપરાંત આગળ
જઈ જ ન શકે, અને તેથી ઊલટું જે હેતુને સારુ લડાઈ કરી
હોય તે હેતુનો, લડવાનું બળ વખત જતાં ક્ષીણ થાય છતાં, ત્યાગ
પણ ન કરી શકાય. આ બંને સિદ્ધાંતનો દક્ષિણ આફ્રિકામાં સંપૂર્ણ
અમલ થયો. લડાઈના આરંભમાં જે બળ ઉપર હતુ રચવામાં આવ્યો
હતો તે બળ પાછળથી ખોટું નીવડયું એ આપણે જોઈ શકયા,
છતાં મૂઠી જેટલા બાકી રહેલા સત્યાગ્રહીઓ એ લડાઈને છોડી ન
શક્યા. આમ ઝૂઝવું પ્રમાણમાં સહેલું હતું, પણ બળની વૃદ્ધિ થવા
છતાં હેતુમાં વૃદ્ધિ ન કરવી એ વધારે કઠિન છે અને તેમાં વધારે
સંયમ રહેલો છે, એવી લાલચો દક્ષિણ આફ્રિકામાં અનેક જગ્યાએ
પ્રાપ્ત થઈ, પણ તેનો લાભ એક પણ વેળાએ નથી ઉઠાવ્યો એમ
પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૩
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે