પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२४ मे – ગાંધીજી અને મિ. ફિશર (મુલકી પ્રધાન) વચ્ચે ૩૦ એપ્રિલથી થયેલો પત્રવ્યવહાર બહાર પડયો.
७ जून – ઉપલા પત્રવ્યવહારનો વધુ ભાગ પ્રગટ થયો.
२१ जून – ઇમિગ્રેશન કાયદાને રાજાની મંજૂરી મળી ગઈ.
१५ जुलाई – નવા કાયદાના ધારા યુનિયન ગેઝેટમાં પ્રગટ થયા.
१ ऑगस्ट – નવા કાયદાની રૂએ ત્રણે કૉલોનીમાં અપીલ બોર્ડ નિમાયાં. આ બોર્ડમાં ઇમિગ્રેશન અમલદારો પણ એક એક મેમ્બરો હતા.
१३ सप्टेम्बर - સત્યાગ્રહની શરૂઆત. સરકાર અને ગાંધીજી વચ્ચેનો બધા અગત્યના મુદ્દાવાળો પત્રવ્યવહાર છપાયો.
२२ सप्टेम्बरથી १५ ऑक्टोबर – નાતાલ તેમ જ ટ્રાન્સવાલમાંથી સંખ્યાબંધ સત્યાગ્રહી સ્ત્રીપુરુષો ફેરી ફરી અથવા સરહદ ઓળંગી પકડાયાં અને જેલ ગયાં.

१६ ऑक्टोबर– ન્યૂકેસલમાંથી ત્રણ પાઉંડના કર સામે હડતાળ શરૂ થઈ અને બધે ફેલાઈ.
६ नवेम्बर – ગાંધીજી હડતાળિયા સાથે ટ્રાન્સવાલમાં દાખલ થયા.
११ नवेम्बर – ગાંધીજીને ડંડીમાં નવ માસની સજા થઈ.
२८ नवेम्बर – હિંદના વાઈસરૉયનું ભાષણ.
११ डिसेम्बर – કમિશન નિમાયું.
१२ डिसेम्बर –ગાંધીજી, મિ. કૅલનબૅક તથા મિ. પોલાકને છોડયા.

૧૯૧૪

१६ फेब्रुआरी - સમાધાની મુજબ યુનિયનની જેલોમાંથી બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકયા.
१८ मार्च – કમિશનનો રિપોર્ટ બહાર પડયો.
३ जून –રિલીફ બિલ બહાર પડયું.
३० जून– છેવટની સમાધાની થઈ.
२० जुलाई - ૪૫ વર્ષની ઉંમરે ગાંધીજીએ કસ્તૂરબા અને કૅલનબૅક સાથે વિલાયત જવા હંમેશ માટે દક્ષિણ આફ્રિકા છોડયું.