પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાંધીજી ફાલતુ કામ કરતા હતા. કામ કરતાં કરતાં ગાંધીજીએ એકાએક કસ્તૂરબાને પૂછયું :

““તેં જાણ્યું કે ?”

“શું?”” જિજ્ઞાસાથી કસ્તૂરબાએ પૂછયું.

ગાંધીજીએ સહેજ હસતાં હસતાં જવાબ આપ્યો : આજ સુધી તું મારી પરણેતર સ્ત્રી હતી, હવે તું મારી પરણેતર સ્ત્રી ન રહી.”

કસ્તૂરબાએ સહેજ ભવાં ચડાવીને કહ્યું : એવું વળી કોણે કહ્યું? તમે તો રોજ નવા નવા નુક્તા શોધી કાઢો છો !

ગાંધીજી હસતે વદને બોલ્યા : “હું કયાં શોધી કાઢું છું ? પેલો જનરલ સ્મટ્સ કહે છે કે, ખ્રિસ્તી લગ્નની જેમ આપણાં લગ્ન કોરટમાં નોંધાયેલાં નથી, માટે તે ગેરકાયદેસર ગણાય અને તેથી તું મારી પરણેતર ન ગણાય, પણ રખાત ગણાય.

કસ્તૂરબાએ ગુસ્સે થઈને કહ્યું : “કહ્યું એણે એનું માથું! એ નવરાને અાવું અાવું કયાંથી સૂઝે છે ?”

ગાંધીજીએ ટૂંકાવીને કહ્યું : “પણ હવે તમે બહેનો શું કરશો ?"

“અમે વળી શું કરીએ ?" કસ્તૂરબાએ પૂછયું.

"અમે લડીએ છીએ તેમ તમે પણ લડો. સાચી પરણેતર થવું હોય અને રખાત ન થવું હોય, તેમ જ તમારી આબરૂ તમને વહાલી હોય, તો તમે પણ અમારી જેમ સરકાર સામે લડો !"

“તમે તો જેલમાં જાઓ છો !”

“તું પણ તારી આબરૂ ખાતર જેલમાં જવાને તૈયાર થા.”

ગાંધીજીનું વાકય સાંભળીને કસ્તૂરબા નવાઈ પામી બોલ્યાં : હં, જેલમાં ! બૈરાંથી વળી જેલમાં જવાય ?”

““હા, જેલમાં. સ્ત્રીઓથી જેલમાં કેમ ન જવાય ? પુરુષ જે સુખદુઃખ ભોગવે તે સ્ત્રીઓથી કેમ ન ભોગવાય ? રામની પાછળ સીતા ગઈ. હરિશ્ચંદ્રની પાછળ તારામતી ગઈ. નળની પાછળ દમયંતી ગઈ. અને સહુએ જંગલમાં અનહદ દુ:ખ વેઠયાં.”'

ગાંધીજીનું વિવેચન સાંભળી કરતૂરબા બોલી ઊઠયાં : “એ તો બધાં દેવ જેવાં ! તેમને પગલે ચાલવાની આપણી શક્તિ કયાં છે ?"

ગાંધીજીએ ગંભીરતાપૂર્વક કહ્યું : “એમાં શું ? આપણે પણ તેમની જેમ વર્તીએ, તો તેમના જેવા થઈ શકીએ, દેવ થઈ શકીએ. રામના કુળનો