પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન

ગાંધીજીની આત્મકથા પછી જેનો નંબર આવે એવું પુસ્તક, આત્મકથા પેઠે જ મૂળ ગુજરાતીમાં તેમણે લખેલો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો આ ઈતિહાસ છે. આ ગ્રંથનું એટલું જ મહત્ત્વ નથી. ગાંધીજીના ઘડતરનો સૌથી મહત્ત્વપૂર્ણ સમય અને સત્યાગ્રહની તેમની શોધનો સમય – આનો ઇતિહાસ પણ એમની જ કલમેથી આ ચોપડીમાં મળે છે. જ્યારે જ્યારે પોતાના આત્માના ઊંડાણમાં જઈને જેવા-વિચારવાનું આવે, ત્યારે ઘણીખરી વખત તેઓશ્રી આફ્રિકાના પોતાના જીવનકાળની વાતો અને અનુભવો યાદ કરતા.. આ પુસ્તક આવા મહત્ત્વવાળો ઈતિહાસ છે. તેનો આ રીતનો ખ્યાલ વાચકવર્ગ પર જોઈએ તેટલો પડ્યો નથી, એ આ ચોપડીની અત્યાર સુધીની ખપત પરથી જણાઈ આવે છે. આ ચોપડીની આ ત્રીજી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં તેની ૩,પ૦૦ નકલો ખપી છે. તે પૂરી થવાથી આ તેની નવી અને સચિત્ર આવૃત્તિ કાઢી છે. ગાંધીજીએ લખેલાનું પુનર્મુદ્રણ આ છે; કેમ કે એમાં તો સુધારો સંભવી ન શકે. પરંતુ પ્રકાશન દૃષ્ટિએ એક-બે ફેરફારો એમાં કર્યા છે, તે નોંધવા જેઈએ.

આ ઇતિહાસ, આત્મકથા પેઠે જ, 'નવજીવન'માં સાપ્તાહિક માળા તરીકે લખાયો હતો અને તે પછી પુસ્તકરૂપે બહાર પાડેલો. પહેલી વાર તે બે છૂટા ભાગમાં બહાર પાડ્યો હતો. આ આવૃત્તિમાં બંને ભાગ ભેગા એક ગ્રંથ રૂપે આપ્યા છે અને તેમાં નવ ચિત્રો ઉમેરવામાં આવ્યાં છે.*[૧]

શ્રી વાલજીભાઈ દેસાઈએ આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. તે કરતી વખતે 'ઈન્ડિયન ઓપીનિયન'ની જૂની ફાઈલો ફેંદી, કેટલીય વિગતોની ચોકસાઈ કરી જોતાં જયાં જયાં સુધારાવધારા કરવા જરૂરી લાગ્યા ત્યાં કર્યા હતા; અને એ અનુવાદ ગાંધીજી પાસે

  1. *મોંઘવારીને કારણે ચિત્રો આપ્યાં નથી.