આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૯
વાતાવરણ ઉપાવતી પદ્યરચનામાં તે ગુજરાતે હજી નથી જ દીઠી.
—શ્રી વિષ્ણુપ્રસાદ રણછેાડલાલ ત્રિવેદીની ‘ વિવેચના ’માંથી
તત્ત્વચિંતનને કવિતાના દિવ્ય મૃદુલ પ્રકાશથી વીંટી દેવામાં આવે
ત્યારે એ અપૂર્વાં સંસ્કારધન બની જાય છે. રા. ખબરદારને કવિતા
તથા તત્ત્વદર્શનનેા વિરલ સમન્વય સાધવામાં સારી સિદ્ધિ મળી છે
એમાં શક નથી. × × × સાદી, સરળ અને પ્રવાહી વાણીમાં વિતા
રેલાતી જાય છે અને પાતાપણું ખેાતી નથી. × × સરલ, વિશ,
ધોધમધ ભાષા ને લય આ આખા ય કાવ્યને સભાગ્ય બનાવી મૂકે છે.
જેવી છે તેવી ‘ દર્શનિકા ' ગુજરાતી કવિતાસાહિત્યમાં ગણનાપાત્ર
ફાળેા છે, એમાં બે મત હાઈ શકે નહીં.
—શ્રી, અનતરાય મ. રાવળનો દનિકાને કવિ '
નામે ઇ. સ. ૧૯૩૬માં અપાયેલા વ્યાખ્યાનમાંથી.
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
20/20
સ્નેહનો વિશ્વધર્મ
૪૧૯