પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૨૬
કાઠિયાવાડ રાજકીય પરિષદ

પરિષદ થઈ અને ગઈ. ઠક્કર બાપાના ભાષણ વિષે, લોકોની હાજરી વિષે, સ્વાગતમંડળના સ્વાગત વિષે, મે૦ રાણા સાહેબનાં વિવેક ને મૃદુતા વિષે, પરિષદમાં તેમની હાજરી વિષે, તેમણે મહેમાનોને આપેલી જાફત વિષે મારે કંઈ કહેવાપણું નથી. શેઠ દેવીદાસે સ્વાગતમાં મણા રહેવા ન દીધી. શેઠ ઉમર હાજી આમદ ઝવેરી જે સ્વાગતમ્ંડળના પ્રમુખ હતા તેમની જગ્યા તેમણે ખરેખર પૂરી, ને સ્વાગત કરતાં પોતીકા દ્રવ્યનો સંકોચ ન રાખ્યો. પ્રમુખના ભાષણમાં ભીલ અને ઢેડના ગોરને શોભે એવું ગાંભીર્ય હતું. પરિષદના ઠરાવો નિર્દોષ હતા. મને તેમાં રસ ન આવી શક્યો, કેમકે તે ઠરાવની પાછળ તેનો અમલ કરવા કરાવવાનાં દૃઢ નિશ્ચય અને શક્તિ નહોતાં. ઠરાવો સૂચવનારામાંના ઘણાએ ઠરાવો સૂચવવામાં પોતાની કર્તવ્યપરાયણતાની સીમા માની લીધી જણાઈ. પરિષદ ખાદી પરિષદ નથી એમ સમજ્યો. મનમાં શમશમી ગયો. મેં એકલે તેનું ધ્યાન ધર્યું. મારી હાર મેં જાણી લીધી, પણ ખાદી પ્રત્યેનો મારો વિશ્વાસ મોળો ન થયો, તેથી મારે મારી બળતરા નથી રડવી.

હું તો કેવળ એક ઠરાવ ઉપર જ લખવા ઇચ્છું છું. તે ઠરાવ મારી કૃતિ છે, અને મને લાગે છે કે તે ઠરાવ રચી