પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

રાજા માટે પ્રેમ રાખે. એ બધું હોય ત્યારે ત્યાં સત્યાગ્રહ દળની છાવણી પડી શકે. દરમ્યાન તમે अના લોકોને કેળવી શકો. ત્યાંથી અનેક માણસો આવતા હોય તેમને પોતાની અધોગતિ વિષે જાગૃત કરો. તેમાં પોતાનાં સગાં હોય તોપણ તેમને ત્યાં વિવાહ કે તેવા જ બીજા શુભ પ્રસંગ હોય તો ત્યાં ન જ જવું. એમ એ રાજ્યના લોકોને બહિષ્કારથી કેળવણી આપો.

મહાદેવ હરિભાઈ દેસાઈ
 
નવજીવન, ૨૯–૧–૧૯૨૮