પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

હિંદુસ્તાનમાં થઈ ગયો જોવામાં આવે છે, ને સરકાર પ્રજાના કલ્યાણથી વિરોધી વર્તન કરે છે તેથી સત્યાગ્રહ શરૂ થયો છે. દેશી રાજ્યોની સ્થિતિ અત્યારે એટલી વિકટ છે કે ત્યાંની રૈયતે તે રાજ્યો પ્રત્યે અત્યારે સત્યાગ્રહ કરવો એ ઘણું જ ગંભીર પગલું ગણાય; ને તે તો જે રાજ્યમાં અસહ્ય અત્યાચાર ચાલતા હોય ને જ્યાં પ્રજામાં સામાજિક આત્મબળ આવ્યું હોય ત્યાં જ થઈ શકે.

નવજીવન, ૮–૧–૧૯૨૨