પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
મારી કેફિયત


બિકાનેર નરેશે રાજાઓને સંગઠિત પગલાં લેવા કહ્યું એ બરોબર હતું. માત્ર તેમણે દોર્યો તે માર્ગ અવળો હતો. ‘લાતો અને લાલચો’ની નીતિ દેશી રાજાઓને અંતરિયાળ રાખશે. તેમણે ઝેર ઝઘડાની આગાહી કરી છે. દેશી રાજ્યની પ્રજા રાજાઓની પેઠે સંગઠિત લડત ભલે ન આપી શકે, પણ રાજાઓ સુધ્ધાં બીજા રાજ્યેાની કે બ્રિટિશ હદની પ્રજાને હવે પરદેશી તરીકે નહિ જ લેખી શકે. દેશી રાજ્યોની પ્રજા એટલી જાગી છે કે બધા રાજાઓની તમામ સંગઠિત કારવાઈ સામે તે ટક્કર ઝીલશે.

હરિજનબંધુ, ૧૨–૨–૧૯૩૯