પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
દેશી રાજ્યોનો પ્રશ્ન

રહ્યા છે તેમની કાળજી દૂર કરવાને સારુ હું પૂરતું કારણ ગણું છું. મારે પક્ષે એટલું જ કહેવું ઉચિત સમજું છું કે જે બાબતોનો આપના તારસંદેશમાં ઉલ્લેખ નથી તે મારા તરફથી પડતી મુકાઈ નથી, પણ તે બાબતમાં મને સંતોષ મળવો રહેશે, છતાં રૂબરૂ ચર્ચા થતાં સુધી તે બાબતો મુલતવી રાખી જ શકાય. દાક્તરો દિલ્લી સુધીની મુસાફરી કરવાની રજા આપશે કે તુરત જ હું દિલ્લી આવીશ.

જેના ઉપર મારે અનશન કરવું પડ્યું તે પ્રકરણ આટલી તાકીદે અને આટલી સહાનુભૂતિથી હાથમાં લીધાને સારુ ફરી એક વાર આપનો આભાર માનું છું.”

હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯