પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫
મારી વ્યથા

એ વિઘ્નોનું વર્ણન આ ઘડીએ કરવાની મને છૂટ નથી. પણ સરદારની યાદીમાંથી અમુક નામો બાતલ રાખવાના મારા વર્તનથી જેઓ દુભાયા હોય તેમને મારી વિનંતી છે કે તેઓ સબૂરી રાખે. તેમની ફરિયાદો દૂર કરાવવા માટે બધાં વાજબી સાધનોનો ઉપયોગ તેઓ સુખે કરે. તેમણે આજે જે રીત અખત્યાર કરી તે જરાયે વાજબી નહોતી.

રાજકોટ, ૧૬–૪–૩૯
હરિજનબંધુ, ૨૩–૪–૧૯૩૯