પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯
કેટલે સુધી?

તો સત્તાવાળાઓ — પછી તે દીવાન હોય કે બીજું કોઈ — ની અવગણના એટલે કે તુચ્છકારની અવેજીમાં મેં સૂચવી છે. અને ખરું જોતાં તો તેમાં એટલી જ વિનવણી છે કે કાર્યકર્તાઓને પક્ષે એવી સમાધાનીની વાટાઘાટને સારુ હમેશાં વૃત્તિ અને તૈયારી જોઈએ. એવુંયે બને કે વાટાઘાટની ભૂમિકા આવવા જ ન પામે. જે એમ થાય તો, સત્યાગ્રહીઓને વાંકે એમ બન્યું એમ ન કહેવાવું જોઈએ.

સેવાગ્રામ, ૧૯-૬-૩૯
હરિજનબંધુ, ૨૫-૬-૧૯૩૯