પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૩
રાજાઓ અને ચક્રવર્તી સત્તા

આ વિષયની ચર્ચા કરતાં ‘ટાઈમ્સે’ રાજાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે ખાસ અણઘટતો છે. તેઓ ચક્રવર્તી સત્તાની જ સૃષ્ટિ છે, અને તેના વગર તેમની કશી સ્થિતિ કે પ્રતિષ્ઠા નથી. મારું કથન વિચિત્ર લાગે છતાં મારે કહેવું રહ્યું કે રાજાઓ ચક્રવર્તી સત્તાની સ્પષ્ટ કે મોઘમ સંમતિ વગર સારું અગર તો બૂરું કશું જ કરી શકવાની સ્થિતિમાં નથી. તેઓ તેમના પોતાના સિવાય બીજા કોઈના પ્રતિનિધિ નથી. આવા રાજાઓની સાથે સમાધાની કરવા મહાસભાને કહેવું એટલે ચક્રવર્તી સત્તા જોડે જ સમાધાની કરવા કહ્યા બરાબર છે.

હરિજનબંધુ, ૧૨-૧૧-૧૯૩૯