પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

ફરિયાદ કરવાનો અધિકાર નથી. ભલે કદાપિ ઢેબરભાઈ સિક્કે રાજ્ય પરિષદે સૂચવેલા દસેદસ જણાએ રાજકોટ રાજ્યના આ સુધારા સ્વીકાર્યા હોત તોપણ મેં એ સુધારાનું કરેલું પૃથક્કરણ જો ખરી હકીકતો પર ઘડાયેલું હોય — અને હું માનું છું કે — તો તે કોઈ વાતે બદલાતું નથી. માત્ર જેમને કંઈક જોઈતું હતું તે બધા જો તેમની પાસે જે મોજૂદ હતું તેનાથી પણ ઓછું લઈને સંતોષ પામવા તૈયાર થાય તો એવું પૃથક્કરણ નિષ્ફળ ઠરે ખરું, માટે એ અર્થમાં રાજકોટના સત્તાવાળાઓ બેશક જીત્યા કહેવાય.

સેવાગ્રામ, ૧૦-૧૨–૩૯
હરિજનબંધુ, ૧૭–૧૨–૧૯૩૯