પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૦
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય

એક મિત્રે કાઠિયાવાડ રાજકીય પરિષદ વિષે લાંબો કાગળ લખ્યો છે, તેમાંથી નીચેનાં વાક્યો ઉતારું છું:

“કા૦ રા૦ પરિષદનું રાજકીય ધ્યેય શું હોવું જોઇએ? રાજાઓને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનું ? અથવા તા રાજાઓના જુલમ સામે જાહેર અભિપ્રાયનું બળ એકત્ર કરવાનું ? અથવા તો સમગ્ર કાઠિચાવાડમાં અથવા તો કાઠિયાવાડનાં ભિન્ન ભિન્ન દેશી રાજ્યોમાં લોક્શાસન એક યા અન્ય સ્વરૂપે સ્થાપવાનું? આ ઉદ્દેશ હજી સુધી નિર્મિત થયો નથી, તેથી હોકાયંત્ર વિનાના વહાણની માફક પરિષદનું વહાણ આમતેમ ઝોલાં ખાતું આથડ્યા કરે છે. કેટલાક ભાઈઓ સમગ્ર કાઠિયાવાડની રાજકીય પરિષદને નિરર્થક અથવા તો વંધ્ય પ્રવૃત્તિ ગણે છે, અને તેને બદલે પ્રત્યેક રાજ્યમાં પ્રજામંડળ અને પ્રજાપરિષદ સ્થાપવાની સલાહ આપે છે. તેઓ એમ કહે છે કે ભાવનગરની પ્રજાના પ્રશ્નો ભાવનગરની પ્રજા જ ઉકેલે, બીજા રાજ્યની પ્રજાની મદદ ભાવનગર માગે તેમાં નથી ભાવનગરની શોભા, કે અન્ય રાજ્યની પ્રજા માથું મારે તેમાં નથી ભાવનગરને લાભ. જ્યાં ઉદ્દેશની અને ઉદ્દેશને અંગે ઊભી થતી પ્રવૃત્તિની એકતાનો સંભવ નથી ત્યાં સમગ્ર પ્રદેશવ્યાપી રાજકીય હિલચાલ કશું ફળ નિપજાવી શકતી નથી.”

મારી દૃષ્ટિએ કા૦ રા૦ પરિષદનું ધ્યેય આ હોવું જોઈએ:
૧. પ્રત્યેક રાજ્યમાં રાજા-પ્રજાનો સબંધ લોકોપકારી નીવડે એવાં પગલાં ભરવાં.