વસ્તુને તેને તેકરી મેળવવાના કામમાં ધણા ઉપયાગ થયેા. બાએ એડ-
રિંગ કંપની નામની મેાતી અને હીરાનેા વેપાર કરનારી એક કંપની છે,
તેની આપીસ ટાઇમ્સ આફ ઇન્ડિયાના મકાનમાં છે. એ કંપનીના મેનેજર
મિ. રાકેંથાલ ફ્રેંચ ગૃહસ્થ છે. તેને ઈંગ્રેજી તથા ફ્રેંચ એ બેય ભાષા
બરાબર જાણનારા એક પ્રાઇવેટ સેક્રેટરી કે પર્સનલ ઍસિસ્ટંટ જેતે
હતા. આ કામ હાલ દોઢ વર્ષથી રઘુનાથને મળ્યું છે.
પેાતાના વિચારેાની પ્રસિદ્ધિને સારૂ એકાદ માસિક કાઢવું એવા તેને
વિચાર ઘણાક દિવસેાથી હતા, પણ નિર્વાહની સગવડ થયા સિવાય બીજે
કાંઇએ વિચાર મનુષ્યને સુઝતા નથી. તે એ પ્રમાણે ચિંતામાંથી છૂટયા પછી તેણે
આ વિષય તરફ લક્ષ આપ્યું. “ સમાજ–સ્વાસ્થ્ય ’ નામનું નાનકડું માસિક
તેણે ગયા આઠ—નવ મહિનાથી શરૂ કર્યું છે. આ એકદર સર્વાં કામમાં તેણે
ઠીક સ્વાત્યાગ કર્યા છે. રઘુનાથના કેટલાક મતા મને માન્ય નથી અને
તે વેળા કવેળાએ પ્રસિદ્ધ કરવાની રીત પણ મને પસંદ નથી; પણ જે
વસ્તુનું જ્ઞાન ફેલાવાથી વ્યક્તિ અને સમાજનું હિત થાય એમ છે એવું એને
વિચારપૂર્વક લાગે છે તે જ્ઞાન ખીજા કાઇના મતની પરવા ન કરતાં તે
નિર્ભયપણે પ્રસિદ્ધ કરે છે, અને એ માટે જે આવી પડે તે સહન કરે છે.
એકદરે તેના તેજસ્વી સ્વભાવ અને તે માટે સહન કરવાં પડતાં વિઘ્ન ભાગ-
વવાની તેની તૈયારી માટે મારાથી તેને શાબાશી આપ્યા વિના રહેવાતું નથી.
૪
રઘુનાથની પત્ની માલતીબાઈ ફર્ગ્યુસન કાલેજમાંથી પ્રિવિયસ પાસ
થયાં છે. તેણે ઘણાં વર્ષો સુધી જુદી જુદી કન્યાએની હાઈસ્કુલમાં શિક્ષિકા
તરીકે કામ કર્યું છે. હાલ તે મુંબાઈ મ્યુનિસિપાલિટીની મ્યુનિસિપલ ઉર્દુ
કન્યાશાળામાં ડીલ ટીચર (કવાયત શિક્ષક)નું કામ કરે છે. હાલના જમાના-
માં દુર્લભ એવી એક વસ્તુને વળગી રહેવાની ટેવ તેનામાં છે. શાળામાંનું
પેાતાનું કામ કરવા ઉપરાંત મુંબાઈમાંની કેટલીક સ્ત્રીએની સંસ્થામાં તે સારા
ભાગ લે છે, તાપણ ધરકામમાં ખીલકુલ ઉણપ આવવા દેતાં નથી. પૈસા-
ની દૃષ્ટિએ માલતીબાઈ રઘુનાથને સારી રીતે મદદ કદી શકે એવાં હાવાથી
અને તેનાં કાર્યમાં તેની સહાનુભૂતિ હાવાથી નેકરીમાંથી એ વખત
રાજીનામું આપતાં રઘુનાથનું મન કચવાયું ન હતું.
મારા બીજો પુત્ર શકર એમ. બી. બી. એસ. થઇ મહાયુદ્ધ વખતે
લશ્કરી મેડીકલ ખાતામાં દાખલ થયા. તેને સરહદ પર, ઈરાન તે મેસેા-
પોટેમિયાના લશ્કરમાં ડૉકટર તરીકે કામ કરવું પડયું હતું. ત્યાંથી ફારગ
ancharit
Portal