પૃષ્ઠ:Divadi.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : દીવડી
 

લાગવા માંડી.

એ અડચણ દૂર કરવાનું સાધન પણ કીકાભાઈ પાસે હતું, જયંતીલાલે પોતે જ આખી થાપણ જાણે કીકાભાઈએ મૂકી હોય એવી રીતે શું ચોપડા તૈયાર કર્યા ન હતા? જયંતીલાલની એમાં ઉદારતા હતી કે સાવચેતી હતી તેની વિમાસણમાં પડી કીકાભાઈએ નક્કી કર્યું કે એમાં જયંતીલાલની ઉદારતા કરતાં લુચ્ચાઈ વધારે કારણરૂપ હતી. આખી થાપણ પોતાને નામે કરી બધી જવાબદારી કીકાભાઈને માથે નાખવાનો પ્રયત્ન હોય એમ કોણ કહી શકે? નફો મળે ત્યાં સુધી તો ઠીક, પરંતુ વખતે વ્યાપારમાં લથડિયું ખાઈ જવાય ત્યારે જયંતીલાલની જવાબદારી શી? થાપણ પણ કીકાભાઈના નામે કરી લીધી એટલે જવાબદારી આખી કીકાભાઈને માથે પડે એવી સફાઈથી જયંતીલાલ અળગા થઈને બેસે તો તેને અટકાવવા માટે બીજું શું સાધન મળી શકે ?

એક દિવસ કીકાભાઈએ જયંતીલાલને કહ્યું : 'ભાઈ આપણે હવે આપણી ભાગીદારી લેખી કરી લઈએ.'

‘આટલા દિવસના ચોપડા શું આપણી ભાગીદારીની વાત નહિ બોલે ?' જયંતીલાલે જવાબ આપ્યો.

'એમ નહિ. પણ જરા વધારે સ્પષ્ટતા કરવી એ સારું છે. નફા ભેગી જવાબદારી પણ આપણે કાયદેસર કરી લઈએ.'

'જે દિવસે કાયદેસર લખાણ કરવાની ઈચ્છા થાય તે દિવસે આપણે છૂટા પડવું એ વધારે સારું. આપણે છૂટા પડીએ એમ હું પણ માનતો નથી, દુનિયા પણ માનતી નથી અને તું પણ ન માને.' જયંતીલાલે કહ્યું.

'હું શા માટે ન માનું ? જિંદગીભર ભાગીદારી ગોળગોળ રાખવી એ મને હવે તો ફાવતું નથી. એનાં કરતાં છુટા પડવું એ શું ખોટું ?' કીકાભાઈએ કહ્યું.

'કીકા ! આ તું બોલે છે? થાપણથી માંડી નફા સુધી મેં