પૃષ્ઠ:Divadi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી : ૧૦૩
 


'ભાઈને માટે ફળ મોકલ્યાં છે, શેઠસાહેબે !'

એક ક્ષણ જયંતીલાલને એક ઈચ્છા થઈ કે તેઓ ફળની ટોપલી લેવાની ના પાડે. પણ અશક્ત પુત્રને માટે આ વસ્તુ ઉપયોગી થઈ પડશે એમ ધારી પોતાના સ્વાભિમાનને તેમણે ઢાંકી દીધું. વધારામાં પોતાના ખિસ્સામાંથી એક પાકીટ કાઢી જયંતીલાલના હાથમાં મૂક્યું, જે ઉધાડતાં જ જયંતીલાલનું મુખ અને તેમની આંખ રાતાં થઈ ગયાં. તેમણે ફળની ટોપલીને લાત મારી ફળને રસ્તા ઉપર ફેંકી દીધાં, કાગળ ફાડી શૉફરના હાથમાં મૂક્યો, અને કહ્યું :

'તારા શેઠ સાહેબને જઈને કહેજે કે દીકરાનું લોહી પીવું બાકી હતું તે તેમણે હવે પૂરું કર્યું છે. હજી કાંઈ બાકી રહ્યું છે?' એટલું કહી પીઠ ફેરવી જયંતીલાલ ઘરની અંદર આવ્યા, અને પુત્રને દૂધ પાતાં પાતાં પૂછ્યું :

'પુષ્પક ! તને ખબર છે કે તેં કોને લોહી આપ્યું છે?'

'ના જી, એ તો ડોક્ટરો જાણે.'

માંદા પુત્રને વધારે લાંબી વાતમાં પિતાએ રોક્યો નહિ. એક આછો સંતોષ જયંતીલાલને થયો. પોતાના દુશ્મન બની ચૂકેલા મિત્ર કીકાશેઠનો હજાર રુપિયાનો ચેક તેમણે ફાડી નાખ્યો હતો !

પંદરેક દિવસ વીતી ગયા. પુષ્પક સહેજ હરતાફરતો થયો અને એક દિવસ એની એ જ કાર આવી તેનાં પગથિયાં આગળ ઊભી રહી. કારમાંથી કીકાભાઈ, તેમનાં પત્ની અને તેમની પુત્રી ત્રણ જણ નીચે ઊતર્યા અને જયંતીલાલના ઘરમાં પ્રવેશ્યાં. જયંતીલાલ ત્રણેને ફાટી આંખે જોઈ રહ્યા. તેમના હાથમાં હથિયાર હોત તો તેઓ ખૂન કરત. હથિયાર ન હતું એટલે હથિયારનો ઘા જયંતીલાલના પોતાના દેહ ઉપર પડતો હોય એવો ઝાટકો તેમણે અનુભવ્યો. કદાચ તેમને મૃત્યુપ્રેરક મૂર્છા આવી જાત. કીકાભાઈએ રુધિરભીની જયંતીલાલની આંખ નિહાળી અને પોતાની દીકરીને તેણે જયંતીલાલના