આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : દીવડી
જેમને જેમને એમ લાગે કે તેમની પત્ની, તેમનાં સંતાન, તેમના મિત્રો, તેમના સંબંધીઓ, તેમનાથી નાસતાં ફરે છે, તેમણે ચોક્કસ માની લેવું કે તેમને જાતશત્રુએ જ ઘેર્યા છે.
અને જાતશત્રુનો વિનાશ કરવાનું સાધન એક જ :
આયનામાં સ્વમુખ નિહાળવું !
અરે, આયનામાં ન જોવું હોય તો વગરકારણે પણ સ્મિત કરવું – બાળકથી માંડી વૃદ્ધની સાથે ! અને તમારી પત્ની સાથે તો ખાસ !
સ્મિતરહિત ક્ષણ જતાં જાતશત્રુ તમને જીતી લેશે.
પરંતુ મારી ખાતરી છે સ્મિતભર્યું મુખ રાખવાની ટેવ પડશે તો તમે તમારા મુખને આયનામાં જરૂર નિહાળશો.