પૃષ્ઠ:Divadi.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : દીવડી
 

જેમને જેમને એમ લાગે કે તેમની પત્ની, તેમનાં સંતાન, તેમના મિત્રો, તેમના સંબંધીઓ, તેમનાથી નાસતાં ફરે છે, તેમણે ચોક્કસ માની લેવું કે તેમને જાતશત્રુએ જ ઘેર્યા છે.

અને જાતશત્રુનો વિનાશ કરવાનું સાધન એક જ :

આયનામાં સ્વમુખ નિહાળવું !

અરે, આયનામાં ન જોવું હોય તો વગરકારણે પણ સ્મિત કરવું – બાળકથી માંડી વૃદ્ધની સાથે ! અને તમારી પત્ની સાથે તો ખાસ !

સ્મિતરહિત ક્ષણ જતાં જાતશત્રુ તમને જીતી લેશે.

પરંતુ મારી ખાતરી છે સ્મિતભર્યું મુખ રાખવાની ટેવ પડશે તો તમે તમારા મુખને આયનામાં જરૂર નિહાળશો.