જ છું.'
કછોટો મારી દીવડી પાણીના વમળમાં કૂદી પડી અને શું કરવું – વર્ષા અને દીવડીના સૌંદર્યની સરખામણી કરવી કે કેમ? – કાંચનજંઘા દીવડીની જાંઘ ઉપરથી નામ પડ્યું હશે કે કેમ?— એનો વિચાર કરતા રસિકને એક ભયંકર ધક્કો વાગ્યો. ભાન આવે કે જાય તે પહેલાં ભયંકર વમળોથી ભરપૂર વાંસજાળ પાણીમાં તે ઊંડો ઊતરી ગયો. મરણનો ભય અને ગૂંગળામણ તેણે ક્ષણ બે- ક્ષણ માટે અનુભવ્યાં; શ્વાસ લેતાં તેણે પાણીમાં ત્રણચાર હડસેલા ખાધા અને એકાએક જમીન ઉપરથી દીવડી તેને ખેંચી લેતી હોય તેવો તેને ભાસ થયો. તેની પાછળ જ તેને ધકેલી, તેને ખસેડી, તેને સલામત લાવેલો, દીવડી કરતાં વધારે ઊંચો અને મજબૂત યુવાન ચીકણી, ભીની જમીન ઉપર આવ્યો અને બોલ્યો :
'ચાલ, ભાઈ ભાઈ કરતી હતી તે. ભાઈ બચ્યા તો ખરા !'
રસિક વરસતે વરસાદે બન્નેની સાથે ધર્મશાળામાં ગયો. કપડાં બદલ્યાં. વરસાદ બંધ રહ્યો અને થોડે દિવસે શહેરમાં જવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે ધર્મશાળા છોડી તે શહેરમાં પાછો ગયો.
શહેરમાં પાછા જઈને તેણે ભારે ખર્ચ કરી, ભારે આગ્રહ સાથે દીવડીને શહેરમાં બોલાવી મંગાવી.
પરંતુ તે એકલી દીવડીને નહિ : પરણેલી દીવડીને ! અને તે તેના વર સાથે ! એ જ યુવક દીવડીનો વર હતો કે જેણે રસિકને અત્યંત ભયાનક પૂરમાંથી જીવના જોખમે બચાવ્યો હતો. નદીમાંથી ઘેર પાછાં આવતાં દીવડીએ એકલો રસિક સાંભળે એમ રસિકને ક્યારનું યે કહ્યું હતું :
‘હું કોને પરણીશ તે તમે જાણો છો ?'
'કોને?' સહેજ આશ્ચર્યચક્તિ રસિકે ત્યારે પૂછ્યું. જોખમ ખેડી આવેલા જીવને એ પ્રશ્ન ચમકાવનારો નીવડે ખરો.
'કહું કોને ? આને...પણ કોઈને હમણાં કહેશો નહિ.' દીવડીએ